નવસારી : વાંસદા તાલુકાની કેલીયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલને સાંદીપનિ ગુરુ ગૌરવ એવૉર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. પૂજ્ય ભાઈશ્રી અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં તા.૧૯-૦૭-૨૪ અને ૨૦-૦૭-૨૪, શુક્રવાર અને શનિવાર એમ બે દિવસ ભાવપૂજનનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગુજરાતભરનાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરીને ધ્યાને લઇ એવોર્ડ માટે શિક્ષકોની પસંદગી કરવામાં આવી હતી. જેમાં કેલિયા પ્રાથમિક શાળાના આચાર્યશ્રી હેમંતભાઈ પટેલએ શાળા વિકાસ અને શિક્ષણમાં અવનવા શૈક્ષણિક સંશોધનો દ્વારા નવીન તકનિકીઓનો વિકાસ કરી શાળાને આગળ લાવવાનાં ઘનિષ્ઠ પ્રયાસો કરતાં રહે છે. તેમજ શાળાનાં ભૌતિક વાતાવરણ સમૃદ્ધ કરવા માટે લોકફાળો અને ગ્રામજનોના સહયોગ લેવામાં તેઓ આગળ રહ્યા છે. પર્યાવરણના જતન માટે તેમણે બીજબેંક શરૂ કરેલ છે. સેંકડો બીજનો સંગ્રહ તેમની શાળામાં જોવા મળે છે. જરૂરિયાતમંદોને તેઓ બીજનું વિતરણ પણ કરે છે. આવી ઉત્તમ પ્રકારની કામગીરીની સોડમ પ્રસરાવી રહ્યા છે. અહીં થોડા અંશોમાં તેમનો પરિચય રજૂ કર્યો છે. એવોર્ડ પસંદગીની પ્રક્રિયા કઈ સંસ્થા દ્વારા અને કેવી રીતે કરવામાં આવે છે. પરમ ભાગવ...
અહીં નર્મદા જિલ્લા વિશે કેટલીક હકીકતો છે - સ્થાન: નર્મદા જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના પૂર્વ ખૂણામાં આવેલો છે. - રચના: તેની રચના 2 ઓક્ટોબર, 1997ના રોજ કરવામાં આવી હતી, અને તેમાં ભરૂચ અને વડોદરા જિલ્લાના ચાર તાલુકાઓનો સમાવેશ થાય છે. - મુખ્ય મથક: રાજપીપળા નર્મદા જિલ્લાનું મુખ્ય મથક છે. - વિસ્તારઃ જિલ્લાનો કુલ વિસ્તાર 2,755 ચોરસ કિલોમીટર છે. - વસ્તી: 2011 સુધીમાં, તેની વસ્તી 590,297 છે. - વસ્તી ગીચતા: ચોરસ કિલોમીટર દીઠ 214 રહેવાસીઓ. - સાક્ષરતા દર: 73.29%. - ભાષા: 68.50% વસ્તી ગુજરાતી બોલે છે, ત્યારબાદ વસાવી, હિન્દી અને ભીલી આવે છે. - અર્થતંત્ર: તે દેશના સૌથી પછાત જિલ્લાઓમાંનો એક છે. - તે પ્રખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટી અને સરદાર સરોવર ડેમનું ઘર છે. - સાંસ્કૃતિક અને ધાર્મિક મહત્વ ધરાવતી નર્મદા નદી પરથી જિલ્લાનું નામ રાખવામાં આવ્યું છે.
Vansda (keliya school) :વાંસદા તાલુકાનાં કેલિયાના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને તેમની પ્રસંશનીય શૈક્ષણિક કામગીરી બદલ ગુજરાતના મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો. વાંસદા તાલુકાનાં કેલિયના મુખ્ય શિક્ષક શ્રી હેમંત પટેલને ગુજરાતના માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા અભિનંદન પત્ર પાઠવવામાં આવ્યો છે. જેમાં નવસારીના અંતરિયાળ ગામ કેલિયામાં મુખ્યશિક્ષક તરીકે કાર્યરત એવા શ્રી હેમંતભાઈ પટેલે ગણિત અને વિજ્ઞાન જેવા અઘરા વિષયો શીખવવાની સરળ પદ્ધતિ શોધી છે તે જાણીને તેમણે આનંદ વ્યક્ત કર્યો છે. આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાર વગરના ભણતરના હંમેશાં હિમાયતી રહ્યા છે. ભણતરમાં ભારેખમ લાગતા વિષયો રુચિકર બને તેવા પ્રયાસ માટેના તેઓ આગ્રહી રહ્યા છે. વિદ્યાર્થીઓ માટે વિષયો રસપ્રદ બને, તો તેમનો ભણ...
Comments
Post a Comment